Saturday, 17 August 2019

ઓશો રજનીશ ના અનમોલ વિચારો 1

રજનીશ ઓશોના ૨૧ જીવન ઉપયોગી વિચારો જે તમારી જીવનશૈલી બદલી શકે છે

૧.લોકો કહે છે - કુદતા પહેલા બે વાર વિચાર કરો

ઓશો કહે છે - પહેલા કૂદો પછી જેટલું વિચારવું હોય તેટલું વિચારો

#૨. જેની પાસે ઓછું જ્ઞાન હોય છે તે તેના જ્ઞાન પ્રત્યે એટલો જ ઝનૂની હોય છે

#૩. અંધારુ પ્રકાશની ગેરહાજરી છે

અહંકાર જાગૃતિની ગેરહાજરી છે

#૪. કોઈની પણ જોડે સ્પર્ધા કરવાની જરુર નથી

તમે જેવા છો સારા છો

પોતાની જાતને સ્વીકારો

#૫. દુનિયા અપૂર્ણ છે એટલે જ આગળ વધી રહી છે

જો દુનિયા પૂર્ણ થઈ જાય તે ક્યારનીય ખતમ થઈ ગઈ હોત

#૬. માત્ર અપૂર્ણતાનો જ વિકાસ થાય છે

#૭. કોઈ વિચાર નહીં, કોઈ વાત નહીં, કોઈ વિકલ્પ નહીં

શાંત રહો અને પોતાનાની સાથે જોડાવ

#૮. મૃત્યુ પછી જીવન છે એ પ્રશ્ર્ન મહત્ત્વનો નથી પણ મહત્ત્વનું એ છે કે તમે મૃત્યુ પહેલા જીવિત છો ?

#૯. જો તમારે કંઈક ખરાબ કરવું હોય તો જ શક્તિની જરુર પડે બાકી પ્રેમ, કરુણા પૂરતા છે

#૧૦. તમે જે મહેસૂસ કરો છો, તમે તે બની જાવ છો, આ તમારી જ જવાબદારી છે.
 

#૧૧. ડર લાગે તો તલાશ કરો. બધા જ ડર મૃત્યુના છે. મૃત્યુ એકમાત્ર ભયસ્ત્રોત છે.

#૧૨. તમે કેવા છો ? તે તમે બીજાને આધારે નક્કી કર્યંુ છે. આ બીજા ખૂદ જાણતા નથી કે પોતે કોણ છે.

#૧૩. એક ભીડ, એક રાષ્ટ્ર, એક ધર્મ એક જાતિના નહીં

સમગ્ર અસ્તિત્ત્વનો ભોગ બનો

#૧૪. દર્દથી બચવા આપણે સુખથી અને મૃત્યુથી બચવા આપણે જીવનથી દૂર રહીએ છીએ

#૧૫. ભૂલ થાય એટલી કરો પણ એકની એક ભૂલ બીજીવાર ન કરો, તમે પ્રગતિના પંથે હશો.

#૧૬. એક વ્યક્તિ જે ૧૦૦ ટકા સમજદાર છે, હકીકતમાં તે મૃત્યુ પામ્યો છે.

#૧૭. વિશ્ર્વાસ અને ધારણાં વચ્ચે અંતર છે

વિશ્ર્વાસ ખાનગી છે, ધારણા સામાજિક

#૧૮. તણાવનો અર્થ એ છે કે તમે જે બનવા માંગો છો તે તમે નથી

#૧૯. ભીડ ભ્રમ પેદા કરે છે

#૨૦. તમે દુનિયામાં રહો પણ દુનિયા તમારે અંદર ન રહેવી જોઈએ

#૨૧. જ્યાથી ડર દૂર થાય છે ત્યાંથી જીવન શરુ થાય છે

 

No comments:

Post a Comment

Featured post

બુનિયાદી શિક્ષણ એટલે શું ?

ઈ. સ. ૧૯૯૬માં જેક્સ ડેલોર્સના અધ્યક્ષપદે રચાયેલા આંતરરાષ્ટ્રીય પંચના ‘૨૧મી સદી માટેના શિક્ષણ’ના અહેવાલમાં ગાંધીની નઈ તાલીમનું પ્રતિબિંબ પડે ...